જેએસ આયુર્વેદ મહાવિદ્યાલય ૮૦ વર્ષ જૂની ભારતની નામાંકિત કોલેજાેમાંની એક કોલેજ છે. જે છેલ્લા ઘણા વર્ષોથી દર બે વર્ષે તે તેના પૂર્વ વિદ્યાર્થીઓ માટે એક એલ્યુમિનાઈ મીટ કરે છે. આવી એક ઇન્ટરનેશનલ એલ્યુમની મીટ “સંગાથ-૨૦૨૩” જે એસ આયુર્વેદ મહાવિદ્યાલય નડિયાદ ખાતે રાખવામાં આવેલ કે જેમાં ભારતભરમાંથી તે કોલેજના ૩૦૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ.
આ એલ્યુમની મિટમાં ભાવનગરના જાણીતા ફેમિલી ફિઝિશિયન તેમજ સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી કે જેઓ આ જ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે તેમનું રાષ્ટ્રીય કક્ષાએ તેમજ રાજકીય કક્ષાએ તેમનું વિશિષ્ટ વિવિધ પ્રવુતિઓમાં યોગદાન અને તેમના વિવિધ પર્યાવરણલક્ષી રહેલા પ્રોજેક્ટ્સ કે જે પ્રોજેક્ટ માટે પીએમઓ અને સીએમઓ દ્વારા અનેકવાર વિવિધ નોંધ લેવાણી છે આવા વિશેષ યોગદાન માટે જે એસ આયુર્વેદ મહાવિદ્યાલય એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા ડોક્ટર તેજસ દોશીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ જ કોલેજમાં ગુરુજીઓ દ્વારા ૨૫ વર્ષ પછી કોઈ સારા કાર્ય માટે સન્માન કરવામાં આવે તો તે નોબેલ પ્રાઇઝ કરતા ઓછું ન કહેવાય તેમ ડો.તેજસ દોશીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.