ભાવનગર મહાપાલિકા તંત્ર દ્વારા કમિશનર એન.વી. ઉપાધ્યાયની રાહબરી અને આગેવાની તળે આજે શહેરના ઘોઘાગેટ ચોક, હેવમોર ચોક, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને પથિકાશ્રમ સુધી તેમજ તળાવમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધરાયું હતું. જેમાં ૪૦થી વધુ લારી, બાકડા, કેબીનો જપ્ત લેવાયા હતાં. જ્યારે ૫૦ જેટલા ઓટલા તથા છજા તોડી પડાયા હતાં. આ સાથે દુકાનનો માલ-સામાન રોડ ઉપર મુકી અડચણ કરનાર બે વેપારીને રૂા.૧૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
શહેરના ઘોઘાગેટ ચોકમાં બીએસએનએલ કચેરીની ફુટપાથ પર છ ભાઇ ઢોકળાની સ્ટેવાળી એક લારીની આડમાં અન્ય ત્રણ લારીઓ ખડકાઇ હતી જેને આજે મ્યુ. કમિશનરે કબ્જે કરાવી હતી. આ ઉપરાંત અન્ય લારી-બાકડા પણ હટાવાયા હતાં. જ્યારે બીઝનેસ સેન્ટરમાં એકબાજુનો અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગનો દરવાજાે બંધ કરી દુકાન ચણી લેવાઇ હતી જેનું શટર ખોલાવીને કમિશનરે આ દુકાન જેસીબી ફેરવવાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ દુકાન પર મ્યુ. તંત્ર લગભગ ત્રીજી વખત કાર્યવાહી કરી રહ્યું છે ! મહાપાલિકા તંત્રએ આ ઉપરાંત હેવમોર ચોક, ફ્રુટ માર્કેટ તથા શાક માર્કેટમાં આડેધડ ખડકાયેલ લારી, બાકડા, ગલ્લા કબ્જે કર્યાં હતાં. જ્યારે વેપારીઓએ દુકાનની બહાર છજા-પતરા કાઢ્યા હતાં તેને પણ દુર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઓટલા ચણી લેવાયા હતા તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેસીબી- ક્રેઇન જેવા સાધનો સાથે મ્યુ. તંત્રએ ઘોઘાગેટ ચોકથી લઇ પથિકાશ્રમ અને તળાવમાં ફ્રુટ માર્કેટ તથા પાર્કીંગવાળા રસ્તે ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યું હતું જેમાં એક વેપારી પણ ઝપટે ચડી ગયેલ. પુજા ટ્રેડર્સ તથા અંબિકા ટ્રેડર્સ નામની એક જ માલીકીની બે વેપારી પેઢીને જાહેર રોડ પર માલ-સામાન મુકી અડચણ કરવા બદલ રૂા.૧૦ હજાર દંડ કરવામાં આવ્યો હતો. મહાપાલિકા હસ્તકના નગીનદાસ વાણિજ્ય ભવનમાં પણ તંત્રએ સફાઇ હાથ ધરી હતી. ખુદ કોર્પોરેશનની માલિકીની મિલ્કતની આ હાલત જાેઇ ડે.કમિશનરે સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેરને ટકોર પણ કરી હતી.
આજની કાર્યવાહી દરમિયાન જુની માણેકવાડીમાં રસ્તા પર પશુઓ બાંધી ગંદકી ફેલાવવા બદલ બે માલધારીને રૂપિયા બે-બે હજારનો દંડ કરી પશુ ડબ્બે પુરવામાં આવેલ. પશુ નિયંત્રણ વિભાગે આજે કમિશનરના સીધા માર્ગદર્શન તળે માણેકવાડીમાંથી ૧૨ પશુ તેમજ શેલારશા, આંબાચોક, અલકા ટોકીઝ અને સુભાષનગર વિસ્તારમાંથી ૩૯ મળી કુલ ૫૧ પશુ બપોર સુધીમાં ડબ્બે પુર્યા હતાં.