નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે. આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 ના બજેટના સાત આધાર ગણાવ્યા. તેમણે કહ્યું કે આ વખતે બજેટના મુખ્ય સાત લક્ષ્યાંક છે. જેમને સપ્તર્ષિ કહેવામાં આવ્યું છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ગ્રોથ, ફાઈનાન્શિયલ સેક્ટર, યુથ પાવર સામેલ છે.
તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. 28 મહિના માટે ગરીબોને મફત અનાજ અપાયું છે. કોવિડ રોગચાળા દરમિયાન અમે ખાતરી આપી હતી કે કોઈ ભૂખ્યું ન સૂવે. અમે 80 કરોડથી વધુ લોકોને 28 મહિના માટે મફત રાશન આપ્યું. માથાદીઠ આવક બમણી થઈ છે. 2014 થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારત તરફ ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસ દર 7% રહ્યો છે. અન્ય દેશો કરતાં સૌથી વધારે મજબૂત છે.
બજેટની મુખ્ય જાહેરાતો….
કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ
આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે
કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના
પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે
પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
દેશમાં નવી 157 મેડિકલ કોલેજ બનશે
માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું અભિયાન
કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ