વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેભ્રેસસે જણાવ્યું હતુ કે છેલ્લા આઠ સપ્તાહમાં કોરોનાને કારણે અંદાજીત 1.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. મહત્વની છે કે આંકડો ઘણો ઓછો છે, આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા આના કરતા પણ ઘણી વધારે હશે.
કોરોનાને લઈને WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ જણાવ્યું હતુ કે મનુષ્યો અને પ્રાણીઓમાંથી આ કોરોનાવાયરસને ખતમ કરવો લગભગ અશક્ય છે. તેમજ તેમણે વધુમાં કહ્યુ કે શક્ય છે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ આ ઉપરાંત લોકોના મૃત્યુને ઘટાડી શકીએ છીએ. લોકોને ચેપ ફેલાતા બચાવી શકાય છે. પરંતુ આ રોગચાળો એ વૈશ્વિક આરોગ્ય કટોકટી રહેશે.
આ ઉપરાંત સમિતિએ કરેલા અવલોકનની વાત કરીએ તો વિશ્વભરની આરોગ્ય પ્રણાલીઓ કોરોના સાથે સંઘર્ષ કરી રહી છે. જેથી અન્ય બિમારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાતુ નથી. કેમકે કોરોના વાયરસને આજે પણ મુખ્ય વાયરસ કે મુખ્ય રીતે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે.
ટેડ્રોસ અધનોમ ઘેભ્રેસસે કહ્યુ કે મારી વાત કે મારો સંદેશ ક્લિયર છે કે આજની સ્થિતિએ પણ કોરોનાવાયરસને ઓછો આંકવો કે અંદાજ કરવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. આ વાયરસ પ્રાણીઓમાં અને માણસોમાં સ્થાયી થયેલો જોવા મળેલો છે. તેથી તે તેનું કામ કરી રહ્યો છે અને મોતનો આંક પણ ઘટવાનું નામ નથી લેતો. હાલ તો આપણે વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂરીયાત છે. અને આ વાયરસનો અંત આવી શકવાનો નથી. તેથી જ યોગ્ય રસી અને વધુ રસીકરણની વધુ જરૂરીયાત છે. જેથી કરીને લોકોને રોગપ્રતિકારક શક્તિ આપી શકાય.