આણંદ એસઓજી પોલીસે વટામણથી તારાપુર તરફ જવાના માર્ગ ઉપર એક હોટલ પાસે પેટ્રોલપંપની બાજુમાં આવેલ પડતર ખેતરમાંથી લોખંડના સળીયા ભરેલી ટ્રકોના ડ્રાઈવરો દ્વારા માલિકની જાણ બહાર બારોબાર લોખંડના સળીયાની ગેરકાયદેસર રીતે લે-વેચ કરતા કુલ છ શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે રૂા.૧.૦૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તમામ શખ્શોને તારાપુર પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વટામણથી તારાપુર જવાના માર્ગ ઉપર આશીષ હોટલની પાસે જીઓ પેટ્રોલપંપની બાજુમાં આવેલ પડતર ખેતરમાં સંજયસિંહ સરવૈયા (રહે.ભાવનગર) નાઓની લોખંડના સળીયા ભરેલી ટ્રકોમાંથી કેટલાક સળીયાનો માલ ગેરકાયદેસર રીતે કાઢી લઈ ખરીદ કરતા હોવાનું તેમજ આ પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. જેથી બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા સ્થળ ઉપરથી ૬ જેટલા શખ્સો લોખંડના સળીયા ભરેલ ટ્રકમાંથી અમુક સળીયાઓની ભારી બીજી ટ્રકમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા જાેવા મળ્યા હતા. પોલીસે તમામ શખ્શોના નામઠામ અંગે પુછપરછ કરતા સંજયભાઈ ઉર્ફે એસ.પી. પ્રધ્યુમનસિંહ સરવૈયા (રહે. મોટી ફળી, ભોજપરા, તા.જી. ભાવનગર), ભુપતસિંહ જીલુભા કામળીયા (રહે. કમણોદર, તા.મહુવા, જી.ભાવનગર), વિક્રમભાઈ માલુભાઈ ઉઘેડીયા (રહે. બાળમંદિરની બાજુમાં, ભોળાદ, તા.શિહોર, જી.ભાવનગર), સંજયભાઈ વિઠ્ઠલભાઈ ખસીયા (રહે. રબારીકા રોડ ઉપર, ભડલી, તા.શિહોર, જી.ભાવનગર), મુસ્તુફા યુસુફભાઈ સંધી (રહે.શિહોર, જાેળનાથ, સાંઈબાબા મંદિર, તા.શિહોર, જી.ભાવનગર) અને સંજયભાઈ પ્રેમજીભાઈ ચાવડા (રહે. રાજીવનગર, શિહોર, જી.ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ શખ્શોની પુછપરછ કરતા તમામ ઈસમોએ મૂળ માલિકની જાણ બહાર ટ્રકોના ડ્રાઈવરો દ્વારા લોખંડના સળીયા ભરેલ હોવાનું અને તેમાંથી અમુક સળીયા કાઢી લઈ ગેરકાયદેસર રીતે ખરીદ-વેચાણ કરતા હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલ રૂા.૧,૦૨,૯૨,૪૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી છ શખ્સોને તારાપુર પોલીસને હવાલે કરતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.