ગુજરાત અને દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા દાસ પેંડાવાળાની લોકપ્રિયતા અને તેમની ગુડવિલનો લાભ લઈ અમદાવાદમાં “દાસ ખાખરા”ના નામે થયેલ નવા એકમ સામે દાસ પેંડાવાળા દ્વારા કોર્ટમાં રાવ મંગાવતા દાસ પેંડાવાળાની તરફેણમાં નામદાર કોર્ટે ચુકાદો આપતા પાર્ટીને નામ બદલાવા ફરજ પડેલ તથા તેમના એજન્ટો, ડીલરો, સ્ટોકીસ્ટ અને વિતરકોને તેમના ઉત્પાદનોના માર્કેટીંગ, જાહેરાત અને વેચાણ માટે “દાસ” નામ વાપરાવા તાત્કાલિક અસરથી કાયમ માટે પ્રતિબંધિત કરવામાં આવેલ અને તેઓને આવા અન્ય ટ્રેડમાર્ક જે “દાસ”ના નામ સાથે સમાન અથવા ભ્રામક રીતે સમાન હોય તો તેનો પણ વાપરવા પ્રતિબંધિત કરવામાં આવેલ. દાસ પેંડાવાળાને ગુજરાત કોર્ટ ફી એકટ ૨૦૦૪ મુજબ ૫૦% કોર્ટ ફી રિફંડ આપવામાં આવેલ, દાવો કરનાર વાદી દાસ પેંડાવાળા તરફથી એડવોકેટ એચ. કે. આચાર્ય એન્ડ કંપની રોકાયેલા હતા. ઉપરોકત કેસ એસ.એસ. પી જૈન, સ્પેશિયલ જજ કોમર્શિયલ કોર્ટ ૬, એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ અમદાવાદ (ગ્રામ્ય), મિરઝાપર, અમદાવાદ ખાતે ચાલેલ અને ચુકાદો આપવામાં આવેલ.