Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

રંઘોળામાં શિક્ષક પત્નીની પતિના હાથે કરપીણ હત્યા

ઘરેલું ઝઘડામાં પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર પતિનું પણ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે મોત : અરેરાટી સાથે આઘાત જન્માવે તેવી ઘટના અંગે ઉમરાળા પોલીસે હાથ ધરી તપાસ

aaspassdaily by aaspassdaily
2023-02-08 13:43:15
in સમાચાર
Share on FacebookShare on Twitter

ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિ-પત્ની વચ્ચે ઘરેલું ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો.અરેરાટી સાથે આઘાત જન્માવે તેવી ઘટનામાં રંધોળાની ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાની ઘરેલુ ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થવા જતા પતિનું રંધોળા ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં આવેલ ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અને સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા મોનિકાબેન અનિલકુમાર જૈન ( ઉં. વ.૩૫ ) ને તેના પતિ અનિલકુમાર જૈન સાથે અવારનવાર ઝઘડો થતો હતો.ગત રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ પણ દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા વાત વણસી હતી અને ઉશ્કેરાઈ ગયેલા અનિલ જૈનએ તેના પત્ની મોનિકાબેનને તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે તેમજ કપાળ અને હાથના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીરરીતે ઇજાગ્રસ્ત મોનિકાબેનને સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન રાત્રીના ૧૨ વાગ્યા આસપાસ મોત નીપજ્યું હતું.

બીજી તરફ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયેલ અનિલકુમાર જૈનનું પણ રંધોળા નજીક કોઈ અજાણ્યા વાહન અડફેટે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.

કર્મનો ખેલ ગણો કે કુદરતનો ન્યાય,ઘરેલું ઝઘડામાં પતિ અને પત્નીના અકાળે કમોતની અરેરાટી ઉપજાવે તેવી ઘટના અંગે સ્કૂલના હિતેશભાઈ કનૈયાલાલ દવેએ ઉમરાળા પોલીસમાં જાહેર કરતા ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: Husband murder wiferangholaumarala
Previous Post

જીએસટી ચોરી અટકાવવા બનાવાશે ડિજિટલ ફોરેન્સિક લેબ

Next Post

મારમારીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી શખ્સે પેચીયાના ઘા ઝીંક્યા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મારમારીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી શખ્સે પેચીયાના ઘા ઝીંક્યા

માલણકા હત્યા કેસમાં બે ભાઈઓને આજીવન કેદ

ભાવનગરમાં ૧૧ ફેબ્રુઆરીએ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.