હવે આપે ગાયને આલિંગન કરવાની જરુર નથી. પશુ કલ્યાણ બોર્ડે નોટિસ પાછી ખેંચી લીધી છે. તેવા વિશે મંત્રાલય તરફથી કહેવાયું છે કે, પશુ કલ્યાણ બોર્ડની અપીલને પરત લેવામાં આવી છે. પણ જે લોકો પશુઓને ગળે લગાવવા માગે છે, તેમના પર કોઈ રોક નથી. કાણ કે, તેનાથી માનસિક શાંતિ મળશે. નવી નોટિસમાં એડવાઈઝરી બોડીએ કહ્યું કે, સક્ષમ પ્રાધિકરણ અને મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશ બાદ 14 ફેબ્રુઆરી, 2023ના રોજ કાઉ હગ ડે મનાવવા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અપીલ પરત લેવામાં આવી છે.
પશુ કલ્યાણ બોર્ડે અપીલ જાહેર કરતા લખ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ છે. આપણા જીવનને બનાવી રાખે છે અને પશુ ધન અને જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને કંઈ આપનારી મા સમાન પોષક પ્રકૃતિના કારણે તેને કામધેનુ અને ગૌમાતા તરીકે ઓળખાય છે. આપણા સમયમાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિના કારણે વૈદિક પરંપરા લગભગ વિલુપ્તિની કગાર પર છે. પશ્ચિમી સભ્યતાની ચકાચૌંધે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વિરાસતને ભૂલાવી દીધી છે. ગાયના ખૂબ જ વધારે ફાયદાને જોતા ગાયને ગળે લગાવાની જજ્બાતી સમૃદ્ધિ આવશે, વ્યક્તિગત અને સામૂહિક ખુશી વધશે, એટલા માટે ગૌમાતાના મહત્વને ધ્યાનમાં રાખતા તમામ ગાય પ્રેમી 14 ફેબ્રુઆરીના રોજ કાઉ હગ ડે તરીકે પણ મનાવી શકશે અને જીવનને ખુશહાલ અને સકારાત્મક ઊર્જાથી ભરેલું બનાવી શકશે.