તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે. સરકાર દ્વારા બચાવ કામગીરી હજૂ પણ ચાલી રહી છે. દેશની સાથે સાથે વિશ્વમાંથી બચાવ અને રાહત માટે ટીમ આવી છે ત્યારે આ ભૂકંપના વિનાશથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં તુર્કીમાં 24,617 મૃત્યુ પામ્યા છે તેમજ સીરિયામાં 3500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે એક ભારતીયનું પણ મૃત્યુ થયાનું સામે આવ્યુ હતુ.
તુર્કીમાંથી ભૂકંપ બાદ તબાહીની માત્ર તસવીરો સામે આવી રહી છે. તે જ સાબિત કરે છે કે તુર્કી હાલ કેવી સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યું છે. ભૂકંપના કારણે મોતના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાખંડના પૌરી જિલ્લાના રહેવાસી અને બેંગ્લોરમાં એક કંપનીમાં કામ કરતા વિજય કુમાર ગૌડનું તુર્કીમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.
6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ગુમ થયેલો એક ભારતીય નાગરિક શનિવારે જે હોટલમાં રોકાયો હતો તેના કાટમાળમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. ઉત્તરાખંડના પૌરી જિલ્લાના રહેવાસી અને બેંગ્લોરમાં એક કંપનીમાં કામ કરતા વિજય કુમાર ગૌડ સત્તાવાર કામ માટે તુર્કી ગયા હતા. ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે વિજયનો ચહેરો ઓળખવો મુશ્કેલ હતો કારણ કે તેનો ચહેરો સંપૂર્ણ પણે કાટમાળમાં દબાઈ ગયો હોવાથી ઓળખવો મુશ્કેલ હતો. અને તેના એક હાથ પર ‘ઓમ’ શબ્દનું ટેટૂ હતું. ત્યાર બાદ તુર્કીમાં ભારતીય દૂતાવાસે શનિવારે ટ્વિટ કર્યું, ‘અમે દુઃખ સાથે જાણ કરીએ છીએ કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ પછી તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના મૃતદેહના કેટલાક ભાગો મળી આવ્યા છે. તુર્કીના માલત્યામાં એક હોટલના કાટમાળમાંથી તેનો મૃતદેહ કાઢવામાં આવ્યો છે.