કેરળ સરકાર અને અદાણી પોર્ટસ વચ્ચે થયેલા કરાર મુજબ હવે કેરળ સરકાર અદાણી પોર્ટસને 400 કરોડ રૂપિયા ફાળવશે. કારણ કે વિઝાગ પોર્ટ પર બ્રેકરવોટરનું ર્નિાણ આગળ વધી રહ્યું છે. આ વિઝાગ પોર્ટને લઇને રકમ ફાળવાશે.બંને વચ્ચે થયેલા કરાર મુજબ 3ઢ ટકા બ્રેકવોટર પુરૂ થયા બાદ કેરળ સરકારે અદાણી પોર્ટ અને 400 કરોડ રૂપિયા આપવા પડશે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી સરકારના દરવાજા ખખડાવી રહ્યા હતા. રાજય સરકાર હાલ કરજના જાળમાં ફસાઇ છે અને તેની નાણાકીય સ્થિતિ પણ ખખળી ગઇ છે. એટલે પોર્ટ બિલ્ડર પ્રત્યે પોતાની જવાબદારીનું સન્માન કરવામાં અસમર્થ છે. સમય વીતવાની સાથે કેરળની પિનરાઇ વિજય સરકારે હવે આ મામલે હુડકો પાસેથી 400 કરોડની લોન લેવાનો ફેસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિઝાગ પોર્ટ સરકાર માટે ડ્રીમ પ્રોજેકટ રહ્યો છે અને તત્કાલીન એભન ચાંડી સરકાર (ર011-16) દ્વારા તેને મંજૂરી અપાઇ હતી અને આ પ્રોેજેકટનો માત્ર અદાણી પોર્ટે જ બોલી લગાવી હતી સમજૂતી મુજબ અદાણી 40 વર્ષ સુધી આ વિઝાગ પોર્ટનું સંચાલન કરશે.