સ્વામીનારાયણ ડિવાઇન મિશનના સ્થાપક અનાદી મુક્ત નારાયણભાઇનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉજવાઇ રહ્યો છે જેનું દિપપ્રાગટ્ય પ.પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી, પ.પૂ. જ્ઞાનપ્રકાશદાસજી, પ.પૂ.બાલકૃષ્ણદાસજી, પ.પૂ.સત્યપ્રકાશદાસજી, શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, રામકૃષ્ણદાસજી સ્વામી સહિતના હસ્તે કરવામાં આવેલ. આ શતાબ્દી મહોત્સવ તા.૧૬ ગુરૂવાર સુધી ચાલશે જેમાં પારાયણ, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને બાલનગરી જેવા આકર્ષણો છે.