રાજુલાના પૂર્વ ધારાસભ્ય, તુલસીશ્યામના ટ્રસ્ટી અને કાઠી ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રમુખ સ્વર્ગસ્થ પ્રતાપભાઈ સુરગભાઈ વરુંના સ્મરણાર્થે તા.૧૯.૨ને રવિવારે નાગેશ્રી સ્થિત એસ.કે વરું હાઇસ્કુલ ખાતે સવારે ૧૦થી૧ સર્વરોગ નિદાન કેમ્પ તથા નેત્ર યજ્ઞનું આયોજન કરાયું છે.
સ્વ. સુરગભાઈ કાળુભાઇ વરું એજ્યું. ટ્રસ્ટ નાગેશ્રી દ્વારા હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં એમડી મેડીસીન, જનરલ સર્જન, હાડકા તથા સાંધા, દાંત, કાન નાક ગળા, કિડની પથરી, ચામડીના રોગ, સ્ત્રી રોગ -ગાયનેક તથા આંખના ડોકટર સેવા આપશે. કેમ્પમાં નિદાન કરી દવા વિનામૂલ્યે અપાશે જયારે મોતિયાના દર્દીના ઓપરેશન હનુમંત હોસ્પિટલમાં કરાશે, દર્દીએ આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા લઈ આવવું. સર્વરોગ અને નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓના નામ સ્થળ પર જ રવિવારે લખાશે. આ કેમ્પમાં ડાયાબિટીસનો રિપોર્ટ તથા કાડીયોગ્રામ સ્થળ પર કરી અપાશે.
કેમ્પના સંયોજકમાં ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઈ વરું, હાઇસ્કુલના આચાર્ય જાેરુભાઈ વરું, વિનુભાઇ વોરા, પાર્થભાઈ વોરા રહ્યા છે. કેમ્પને સફળ બનાવવા પ્રભાતભાઈ વરું, ભીમભાઇ વરું અને દેવભાઈ વરું સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. કેમ્પનો બહોળો લાભ લેવા આ પંથકના લોકોને અનુરોધ કરાયો છે.