શહેરના આનંદનગરના રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયેલ આ યાત્રામા વીશાળ સંખ્યામા ભાવિક ભાઇઓ બહેનો જાેડાયા હતાં અને શિવ ભક્તિમા ભાવ વિભોર બની નાચી ઉઠેલ. યાત્રા આનંદનગર વિસ્તારમા ફરી હતી અને ડુંગરીયા હનુમાનજી મંદિરે ભરતભાઈ ભટ્ટ સહીત હુડકો વિસ્તારમા સ્વ.ચીમનભાઈ સોની પરિવાર દ્રારા આ યાત્રનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને ભાવિકો માટે ઠંડા પાણી તથા શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.
આ યાત્રાને સફળ બનાવવા રામેશ્વર મહાદેવના સેવક અને વહીવટ કર્તા કેતનભાઈ વ્યાસ તેમજ પૂજારી મુકેશગીરી બાપુ -પંકજભાઈ જેઠવા- પરેશભાઈ પટેલ- આશિષભાઈ ત્રિવેદી- અનિલભાઈ સોની- આશિષભાઈ મેર યોગરાજસિંહ ગોહિલ- ગોપીભાઈ ત્રિવેદી- ગોપાલભાઈ માળી- હિરેનભાઈ શુકલ- કૃણાલભાઈ ઠક્કર -ત્રિલોકભાઈ જીકાદરા – જય ગોસ્વામી – રુદ્ર જેઠવા -દક્ષ જેઠવા-સાહિલ કળૉતરા – કરણ કળૉતરા- પૃથ્વી વાજા- જય રબારી- ઓમ જેઠવા સહીતના રામેશ્વર મિત્ર મંડળના તમામ ભાઇઓએ જહેમત ઊઠાવેલ. રાત્રિના ભાવિક ભક્તોને ઋદ્રિ અને શિવપૂજા મંદીરના મહંત મંગળગિરી બાપુ દ્રારા કરાવામા આવેલ.