ડુંગળી પકવવામાં રાજ્યભરમાં સૌથી મોખરે રહેલા ભાવનગર જિલ્લામાં આ વખતે ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામ્યું છે. અને ડુંગળીનું વેચાણ કરવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો માલ લાવી રહ્યા છે જેમાં ગઈકાલે મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે પાંચ લાખ બોરીની ઐતિહાસિક આવક થવા પામી હતી. જેના કારણે મહુવાનુ માર્કેટીંગ યાર્ડ ડુંગળીના પાકથી છલકાઈ ગયું હતું. જાેકે ડુંગળીની આવક સામે યાર્ડમાં વેચાણ ઓછું થવા પામ્યુ હતુ. અને ખેડૂતોને ભાવ પણ ઓછા મળ્યા હતા જેથી ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ડુંગળીના વેચાણમાં ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોમાં નારાજગી સાથે રોષ જાેવા મળ્યો હતો.
હાલમાં ડુંગળીની સિઝનપુર બહારમાં શરૂ છે અને ભાવનગર ઉપરાંત મહુવા તળાજા સહિતના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે ડુંગળીની મલક આવક થઈ રહી છે ચાર એક દિવસ પહેલાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ?૪,૦૦,૦૦૦ બોરીની આવક થઈ હતી જેના કારણે ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ છલકાઈ જવા પામ્યો હતો અને ત્યારબાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવાર સુધી ડુંગળી લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી જેના કારણે ખેડૂતો તળાજા તથા મહુવા યાર્ડ તરફ વયા હતા ગઈકાલે ગુરુવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ઐતિહાસિક પાંચ લાખ ગણીને રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી આ ઉપરાંત સફેદ ડુંગળીની પણ ૬૫૦૦૦ બોરીની આવક થવા પામેલ જેના કારણે મહુવા માર્કેટીંગ યાર્ડમાં જ્યાં નજર નાખો ત્યાં ડુંગળી જ દ્રશ્યમાન થઈ રહી હતી આશરે ૨૫૦૦ ઉપરાંત વાહનોમાં આવેલી ડુંગળીના કારણે ચક્કા જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ડુંગળીની બમ્પર આવક ના કારણે સવારથી મોડી રાત સુધી મહુવા બાયપાસ અને સ્ટેશન રોડ ઉપર ચક્કાજામ જાેવા મળ્યા હતા અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.
ગઈકાલે મહુવા યાર્ડમાં થયેલી હરાજીમાં ખેડૂતોને લાલ ડુંગળીમાં રૂપિયા ૪૧ થી ૧૪૨ સુધીનો ભાવ મળ્યો હતો જ્યારે સફેદ ડુંગળીમાં રૂપિયા ૧૨૨ થી ૫૦૦ સુધીનો ભાવ મળ્યો હતો જાેકે પાંચ લાખ ડુંગળીની થેલીની આવક સામે માત્ર ૮૫૦૦૦ થેલીની જ હરાજી થઈ હતી આમ હજુ મહુવાનુ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ રહ્યું છે. ત્યારે મહુવા યાર્ડના સેક્રેટરી સહિત હોદ્દેદારો દ્વારા ખેડૂતોને વેચાણ માટે ડુંગળી થોડી થોડી લાવવા જણાવ્યું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ડુંગળી પકવતા ખેડૂતોને હાલમાં થઈ રહેલી ભારે નુકસાની સામે મુખ્યમંત્રી સમક્ષ આર્થિક સહાય કરવા પણ માંગણી કરી હતી હાલમાં ખેડૂતોને એક મણની પડતર કિંમત ૨૨૦ રૂપિયા જેટલી થાય છે તેની સામે રૂપિયા ૫૦ થી ૧૭૦ રૂપિયા જેવી રકમમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને મણે ૧૫૦ જેટલું નુકસાન થઈ રહ્યું છે અને વીઘા દીઠ ૧૫ થી ૨૦ હજારનું નુકસાન થઈ રહ્યું હોય ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય કરવા પણ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી હતી.