જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. શરૂઆતમાં, આટલી માહિતી અત્યારે બહાર આવી રહી છે.
26 ફેબ્રુઆરીએ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની હત્યા કર્યા બાદ મોડી રાત્રે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. શરૂઆતમાં આટલી જ માહિતી બહાર આવી રહી છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતિપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી તેની સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. આ પછી, પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને સ્થળ પર એન્કાઉન્ટર ઓપરેશન હાથ ધર્યું. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ મળ્યો નથી.