મની લોન્ડરિંગ અને દારુ કૌભાંડમાં ફસાયેલા સિસોદીયા અને સત્યૈન્દ્ર જૈનનું રાજીનામું, કેજરીવાલે સ્વીકાર્યું. દિલ્હીની શાસક આમ આદમી પાર્ટીને તેનો અત્યાર સુધીનો તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના બે મંત્રીઓએ રાજીનામા ધરી આપ્યું છે. તાજેતરમાં દારુ કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મની લોન્ડરીંગ કેસમાં પહેલેથી જ જેલમાં બંધ સત્યૈન્દ્ર જૈને તેમના હોદ્દા પરથી રાજીનામા આપી દીધાં છે. સીએમ અરવિંદ કેજરીવાલે તેમના બન્નેના રાજીનામા સ્વીકારી લીધા છે.