ભાવનગર, તા.૪
શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ટેક્સી સ્ટેન્ડમાં મહંત રામદાસ બાપુ તથા સેવક સમુદાય દ્વારા શાસ્ત્રી અમિત પ્રસાદ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ધાર્મિક પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાગવત સપ્તાહ માં શુક્રવારે શ્રી રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અને રામ જન્મોત્સવની હાર્દિક સહિતના કાર્યક્રમોમાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. આજે કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જ્યારે કથાની પૂર્ણાહુતિ તારીખ 7 અને મંગળવારના રોજ કરવામાં આવશે ભાગવત સપ્તાહમાં દરરોજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.