ભાવનગર,તા.૭
શિહોર તાલુકાના દેવગાણા ગામના ગોપાલ આશ્રમમાં આજથી ધર્મોત્સવનો પ્રારંભ થયો છે જેમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂ.પુરૂષોત્તમદાસ બાપુની ૩૨મી પૂણ્યતિથી તથા શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. આ પ્રસંગે પૂ.સિતારામબાપુ વ્યાસપીઠ ુપરથી જ્ઞાનવાણી વહાવશે.
શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ તા.૯ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકથી, તા.૧૫ને બુધવાર બપોરના ૨-૩૦ સુધી આયોજીત થઈ છે. જ્યારે આજે મંગળવારે સવારથી પ્રતિષ્ઠા વિધીનો પ્રારંભ થયો છે જેની પૂર્ણાહુતિ તા.૯ને ગુરૂવારે બપોરે ૨-૩૦ કલાકે થશે. ધર્મોત્સવ દરમિયાન ગુરૂવાર, શનિવાર, અને સોમવારની રાત્રીના જુદા જુદા કલાકારો સંતવાણી પીરસશે. ભાવિકોને ધર્મોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે. ધર્મોત્સવને સફળ બનાવવા ગોપાલ આશ્રમ સેવક સમુદાય જહેમત ઉઠાવી રહ્યો છે.