ભાવનગર, તા.૭
ભાવનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતની સાથે જ માવઠા રૂપી કમોસમી વરસાદના કારણે નુકસાની ને પગલે બાગાયતી પાકોના ખેડૂતો રીતસર કંગાળ બની ગયા છે ખેડૂતોને આટલા મોટા પ્રમાણમાં બાગાયતી નુકસાન થયું હોવા છતાં તંત્ર હજી સર્વે કરવાની જાહેરાતો કરે છે ત્યારે ગોહિલવાડ પંથકના ખેડૂત આગેવાન દશરથસિંહ ગોહિલ સરકારના મંત્રીઓને સવાલ કરે છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા હોવા છતાં કેમ ખેડૂતોનું તાત્કાલિક ટેકનોલોજીથી સર્વે થઈ શકે નહીં? ગોહિલવાડના ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં તળાજા ઘોઘા પાલીતાણા જેસર વગેરે તાલુકાઓના વિસ્તારમાં માવઠાના કમોસમી વરસાદના કારણે ખેતી પાકો જેવા કે ઘઉં ચણા બાજરી.ડુગળી વગેરે પાકોમાં નુકસાન થવાથી જગતનો તાત પર એક આકાશી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે જે ખેડૂતોએ 156 આપી છે એવા ખેડૂતોને આજે 156 વાળી સરકાર પાસે આશા છે કે એસ ડી આર એફ (sdrf)ની જોગવાઈ મુજબ અસર કરતા તાલુકાઓ ગામો અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર મદદ રૂપ બને અને કુદરતી આફત માંથી ખેડુતોને બચાવે તેવો માંગ ઉઠવા પામી છે.