મિરલ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે ૧૨ માર્ચને રવિવારે વિનામૂલ્યે જ્યોતિષ -વાસ્તુ માર્ગદર્શન- પરામર્શ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
જ્યોતિષ તથા આધ્યત્મની કળા આપણા શાસ્ત્રોની અમુલ્ય જ્ઞાન પરંપરા છે. આપણને મૂંઝવતી કોઈ પણ સમસ્યા જેવી કે ધંધાકીય બાબતમાં અટકાયત, નોકરીના મળવી, કારકિર્દી પ્રત્યેની ચિંતા આવી અનેક સમસ્યાનું સમાધાન આધ્યાત્મ ખુબ સરળતાથી આપે છે. આ અંગે કોઈ પણ અંધશ્રદ્ધા વહેમથી દુર રાખી શાસ્ત્ર મુજબ વિનામૂલ્યે વ્યક્તિગત માર્ગદર્શન શિબિર ભાવનગરમાં પ્રથમવાર યોજાઇ રહી છે.
જેમાં એક જ જગ્યા ટેરો કાર્ડ રીડર, જ્યોતિષ, વાસ્તુ તજજ્ઞ, લામફેરા માસ્ટર, મોક્ષપટ રીડર, રુન્સ રીડર, રેકી ગ્રાન્ડ માસ્ટર, ઓટોમેટીક રાઈડર નિષ્ણાંતોની સેવાનો લાભ મળશે. જેઓ તમારી કોઈ પણ સમસ્યાનું ડરાવ્યા વગર સરળતાથી સમાધાન આપશે. આ શિબિરમાં ભાવનગર શહેરના નામાકિંત અને અનુભવી નિષ્ણાંતોનો પણ સમાવેશ થયો છે. હોટલ બેઝિલ પાર્ક, (વિક્ટોરીયા પાર્ક પાસે, ઈસ્કોન મેગા સીટી, ભાવનગર) ખાતે સવારે ૧૦થી સાંજે ૭ સુધી આ શિબિર રહેશે અને આ સમય દરમિયાન કોઈ પણ જિજ્ઞાસુ અનુકૂળ સમયે વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકશે. લોકોનો આગોતરા સુંદર પ્રતિસાદ હોય થોડો સમય લઈને આવવા અને આપના પ્રશ્ર્નો અંગે સ્પષ્ટ વિગતો સાથે રાખવા આયોજકો દ્વારા જણાવાયું છે.