Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જાણીતા સાહિત્યકાર ધીરૂબહેન પટેલનું નિધન

નવલકથા, વાર્તા, નિબંધ સહિતના સાહિત્ય પ્રકારોમાં તેમનું ઉમદા પ્રદાન રહ્યું છે

aaspassdaily by aaspassdaily
2023-03-10 11:14:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જાણીતા સાહિત્યકાર અને અનેક એવોર્ડથી સન્માનિત ધીરૂબહેન પટેલનું અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. આજે સવારે તેમની અંતિમયાત્રા સવારે ૧૦.૩૦ કલાકે તેમના અમદાવાદ ખાતેના નિવાસ સ્થાનેથી યોજાઇ હતી.

ધીરુબેન પટેલ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક જેવા અનેક સાહિત્યપ્રકાર સાથે જાડાયેલા સુખ્યાત લેખિકા હતા. ધીરૂબેનનો જન્મ વડોદરા શહેર ખાતે થયો હતો અને ચરોતર પ્રદેશનું ધર્મજ એ તેમનું મૂળ વતન. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી. ૧૯૪૯ – ૧૯૬૩ – ભવન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક, ૧૯૬૩ – ૧૯૬૪ – દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક, થોડો વખત ‘આનંદ પબ્લીશર્સ’નું સંચાલન, ૧૯૬૩ના વર્ષથી – કલ્કી પ્રકાશન, ૧૯૭૫ સુધી – ‘સુધા’ સાપ્તાહીકનાં તંત્રી તેઓ રહી ચુક્યા હતાં.

૧૯૮૦ તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ગુજરાતી ચલચિત્ર ભવની ભવાઈ નિર્માણ પામ્યું હતું. ૨૦૦૩-૨૦૦૪- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૨માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

Previous Post

કંગાળ પાકિસ્તાન: PIA પૂરો પગાર નથી આપી શકી- પાયલોટ છોડી રહ્યા છે નોકરી

Next Post

રાહુલે જે પણ કહ્યું તે દૂષિત અને સારી રીતે વિચારેલી વ્યૂહરચના

aaspassdaily

aaspassdaily

Related News

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ
તાજા સમાચાર

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ

August 22, 2025
અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે

August 22, 2025
યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર
આંતરરાષ્ટ્રીય

યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

August 22, 2025
Next Post
રાહુલે જે પણ કહ્યું તે દૂષિત અને સારી રીતે વિચારેલી વ્યૂહરચના

રાહુલે જે પણ કહ્યું તે દૂષિત અને સારી રીતે વિચારેલી વ્યૂહરચના

ભાજપ લોકોને જેલમાં નાખવાની રાજનીતિ કરી રહી છે – મનીષ સિસોદિયા

ભાજપ લોકોને જેલમાં નાખવાની રાજનીતિ કરી રહી છે - મનીષ સિસોદિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.