બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન આજકાલ તેની હીટ ફિલ્મ પઠાનને કારણે ચર્ચામાં છે. બિઝનેસ પણ કરી નવા રેકોર્ડ કરી રહી છે ત્યારે શાહરુખના વ્યક્તિત્વને લઇ પણ ચર્ચાએ જોર પકડ્યું છે અને કહેવાય છે કે તે જો ખૂબ જ સારો એક્ટર અને માણસ છે તો તેની પાછળ તેનો ઉછેર અને શિક્ષણ છે.
શાહરુખ મુસ્લિમ છે પરંતુ તેનું પ્રારંભિક શિક્ષણ કેથોલિક શાળામાં થયું હતું. ઘરે કુરાન શીખવવામાં આવ્યું તો રામલીલા દ્વારા હિન્દુત્વને સમજ્યું. જોકે મુસ્લિમ હોવાના કારણે તેને પ્રસંગો વગેરેમાં ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે અને જ્યારે પણ તે જવાબ આપે છે ત્યારે તે લોકોને કહે છે કે વાસ્તવિક ભારતીય હોવું શું છે.
એક ઈવેન્ટમાં શાહરૂખ ખાને એક સવાલ પર વિશ્વના તમામ મુખ્ય ધર્મોની સમાનતા વિશે કહ્યું કે… હું કુરાનના શબ્દોનું પુનરાવર્તન કરું છું, જે બાઈબલમાં લખેલા શબ્દો સાથે મેળ ખાય છે અને બાઈબલમાં લખેલા વાક્યો ગીતા અને મહાભારતમાં લખેલી વાતો જેવા છે. આ બધા પવિત્ર પુસ્તકો એક જ છે. જ્યારે આપણે આ વસ્તુઓ પર લડીએ છીએ ત્યારે મને તે વિચિત્ર લાગે છે. આ સમાન નોવેલ છે જેની થીમ એક જ છે, માત્ર ભાષાઓ અલગ છે. સમસ્યા શું છે? તમે વિવિધ ભાષાઓ શીખી શકો છો?’
તેણે આગળ કહ્યુ છે… હું ઇસાઇઓ અને હિન્દુત્વ વાંચીને મોટો થયો છું. હું એક કેથોલિક શાળા સેન્ટ કોલંબિયામાં ભણ્યો છું, જેનો મને ગર્વ છે. દિલ્હીમાં છાબરા સાહેબની રામલીલા કરતી વખતે મને હિન્દુત્વ વિશે ખબર પડી જે ખરેખર અદ્ભુત હતી. હું વાનર સેનામાં હતો. હવે હું તમારા બધા માટે એકવાર કહેવા માંગુ છું – ‘સિયા પતિ રામચંદ્ર કી જય કહો, પવનપુત્ર હનુમાન કી જય. આ બધું હું રામલીલામાં કહેતો હતો.
શાહરૂખ ખાન છેલ્લે ઇસ્લામ વિશે કહે છે… હું મારા પરિવાર પાસેથી ઇસ્લામ શીખ્યો છું, તેથી મને લાગે છે કે હું દરેક ધર્મની કદર અને સન્માન કરી શકું છું.’ 57 વર્ષીય અભિનેતા ‘પઠાણ’ની સફળતા પછી દર્શકો તેને હવે જવાન અને ડંકીમાં જોશે જે આ વર્ષે રિલીઝ થશે. જવાનમાં તેનો એક્શન અને લુક્સ અદ્ભુત છે, જ્યારે તાપસી પન્નુ સાથેની તેની ‘ડંકી’ એક સરપ્રાઈઝ પેકેજ બની શકે છે.