૫.૫ લાખ રૂપિયાની લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ પછી જોઇન્ટે ડીજીએફટી જાવરીમલ બિશ્નોેઇના આપઘાત પછી સીબીઆઇએ દાવો કર્યો છે કે તેણે તેના ઘરમાંથી ૯૯ લાખ રૂપિયાની રોકડ અને ૯૯૦ ગ્રામ ચાંદી જપ્તો કરી છે.
સીબીઆઇ અધિકારીઓએ કહ્યું કે જયારે તેમણે બિશ્નોસઇને ૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યાત ત્યા રે બીજી એક ટીમ તેના ઘરે તપાસ માટે મોકલાઇ હતી. એક સીબીઆઇ અધિકારીએ કહ્યુ, ‘તેનું ઘર અંદરથી લોક હતું. બિશ્નોકઇ દ્વારા તેની પત્નિ ને ઘણાં બધા કોલ કરાયા હતા જેનો જવાબ નહોતો અપાયો. સીબીઆઇની એક ટીમે તેમની સોસાયટીના ચેરમેનની હાજરીમાં તાળુ ખોલાવ્યુ હતુ અને જોયું કે ઘરની અંદર પણ બે રૂમો અંદરથી બંધ હતા.
તેમણે કહ્યું કે જયારે તેમણે આમાંનો એક રૂમ ખોલાવ્યોે તો તેમાંથી બિશ્નો.ઇની પત્નિ મળી આવી હતી. અધિકારીએ કહ્યું, ‘જયારે સીબીઆઇ ટીમ શુક્રવારે મોડી સાંજે બિશ્નોરઇના ઘરે પહોંચી, તેની પત્નિીએ બાલ્કીનીમાંથી રોકડ ભરેલી બે બેગો ફેંકી હતી. એક બેગ તેના એક સગાએ ઉપાડી લીધી હતી જે નીચે રાહ જોઇને ઉભો હતો, પણ બીજી બેગ પાડોશીના ઘરમાં પડી ગઇ હતી જેણે પછીથી તે સીબીઆઇને સોંપી દીધી હતી.’ અધિકારીએ વધુમાં કહ્યું કે આ બેગોમાં ૯૯ લાખ રૂપિયાની રોકડ હતી. સીબીઆઇએ ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા જેમાં દેખાય છે કે પરિવારનો એક સભ્ય રૂપિયાથી ભરેલ બેગ લઇ રહ્યો છે.
તપાસ ચાલુ હતી ત્યાવરે બિશ્નોજઇએ પોતાની ઓફીસ બિલ્ડીં ગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આપઘાત પછી તેના પરિવારજનોએ સીબીઆઇ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. સીબીઆઇએ પોતાના સ્ટેમટમેન્ટગમાં કહ્યું કે બીશ્નો ઇએ એક નિકાસકાર પાસેથી નો-ઓબ્જેરકશન સર્ટીફીકેટ આપવા માટે ૯ લાખ રૂપિયા માંગ્યા્ હતા