Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યાત્રાધામ મહુડી મંદિરના બે ટ્રસ્ટીઓ 45 લાખનું સોનું ચાઉં કરી ગયા: બન્નેની ધરપકડ

સોનાનું વરખ ગળાવવા માટે બહાર કાઢવામાં આવતાં જ ફૂટ્યો ભાંડો

cradmin by cradmin
2023-04-07 10:31:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામના મંદિરના જ બે ટ્રસ્ટીઓ 45 લાખનું સોનું ચાઉં કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને ટ્રસ્ટીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે આ ગુનામાં ફરિયાદી બનેલા ભુપેન્દ્રભાઈ શાંતિલાલભાઈ વોરા (ઉ.વ.61, રહે.કાંદિવલી વેસ્ટ-મુંબઈ, મુળ મહુડી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્ર્વેત મૂર્તિપૂજક ટ્રસ્ટના લેટર પેડ ઉપર મહુડી મંદિરના ટ્રસ્ટી નિલેશભાઈ કાંતિલાલ મહેતા તેમજ સુનિલભાઈ બાબુલાલ મહેતાએ આ ગુનાને અંજામ આપ્યો છે.
તેમણે કહ્યું કે મહુડી મંદિરમાં કુલ આઠ ટ્રસ્ટીઓ છે જેમાં વોરા સમાજના બે જેમાં હું પોતે તેમજ વિનીતભાઈ નટવરલાલ વોરાનો સમાવેશ થાય છે. આવી જ રીતે મહેતા પરિવારના કુલ ચાર ટ્રસ્ટી છે જેમાં નિલેશભાઈ કાંતિલાલ મહેતા અને સુલિતભાઈ બાબુલાલ મહેતા ઉપરાંત જગદીશભાઈ કાંતિલાલ મહેતા તેમજ ગીરીશભાઈ પુનમભાઈ મહેતાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ ટ્રસ્ટીઓ તા.1-4-2020થી કાર્યરત છે અને અમારી કામગીરી મહુડી મંદિરના વહીવટી તેમજ ધાર્મિક આયોજનની રહે છે. આવી જ રીતે મહુડી ઘંટાકર્ણ વીર ભગવાનના મંદિરમાં આવેલા ભંડાર (દાનપેટી)માં ભક્તો દ્વારા જે ચડાવો ચડાવવામાં (દાનપેટીમાં નાખવામાં આવતાં રોકડ-દાગીના) આવે છે તે ભંડાર અમે ટ્રસ્ટીઓની હાજરીમાં દર બે-ત્રણ મહિને ખોલતા હોઈએ છીએ.
આ ભંડારામાંથી નીકળતા રોકડ રૂપિયા તેમજ સોનાના દાગીનાની ગણતરી કરી ભંડારપત્રક (પાવતી)માં એન્ટ્રી કરી તેની સંપૂર્ણ માહિતી રાખવામાં આવે છે અને આ પ્રકારની પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે. આ પહેલાં અમે 2022માં દિવાળી ઉપર શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવના સંપૂર્ણ વર્ષનો સોનાના વરખતનો ઉતારો વરસમાં એક વખત ધનતેરસના દિવસે ઉતારીએ છીએ. આ વખતે એ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં મુકી તે ડોલ તીજોરીમાં મુકી હતી જે ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગળાવવા માટે બહાર કાઢી હતી પરંતુ તે દિવસે ગળાવવાનું શક્ય ન બનતા તે ડોલ ટ્રસ્ટીઓની હાજરીમાં પાછળ જાળીમાં મુકી તાળું મારી દીધું હતું.
દરમિયાન ગત તા.15-2-2023ના રોજ અમે આ ડોલમાં રાખેલો સોનાનો વરખ અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં ગળાવ્યો ત્યારે તેમાં 700થી 800 ગ્રામ વજન ઓછું ઉતરતાં અમને ચોરી થયાની શંકા ગઈ હતી. આ પછી અમે સ્ટાફના માણસોની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં નિલેશ મહેતા (રહે.8/3 ઉમાસુત ફ્લેટ, ગોદાવરી જૈન દેરાસર નજીક, વાસણા-અમદાવાદ) અને સુનિલ મહેતા (રહે.પીનલ પાર્ક-4, શાંતિવન બસ સ્ટોપ પાસે, પાલડી-અમદાવાદ) અહીં આવ્યા હતા અને તેમણે પાછળ જાળીમાંથી અમને સ્ટાફને સાથે રાખી સોનાના વરખની ડોલ તેમજ બીજી સોના-ચાંદીની લગડીઓ બહાર કાઢી હતી અને એકાઉન્ટન્ટ રાજુભાઈની ઑફિસમાં લઈ ગયા હતા અને રાજુભાઈની ખુરશી ઉપર નિલેશભાઈ મહેતા બેઠા હતા અને જમણા હાથે સોનાના વરખની ડોલ તેમજ લગડીઓ મુકી તેમજ ડાબા હાથે નિલેશ મહેતાએ તેમાં પોતાના બે ખાલી થેલા મુક્યા હતા.
આ વેળાએ સુનિલ મહેતા બહાર ગાદી ઉપર બેઠા હતા અને થોડીવાર પછી નિલેશભાઈએ સ્ટાફના માણસોને કહ્યું હતું કે તમે બધા જમવા જતા રહો. આ સાંભળી અમે બધા જમવા ચાલ્યા ગયા હોવાનું સ્ટાફે જણાવ્યું હતું. સ્ટાફ જમવા ગયા બાદ નિલેશભાઈ મહેતાએ મંદિરના પુજારી જનકભાઈ પાસેથી સુખડના વરખનું તેલ મંગાવેલ જેનાથી વરખ લાગે છે અને તે તેલ પોતાના બે હાથમાં ઘસી પોતાના શરીર ઉપર લગાડી દીધું હતું કારણ કે સોનાના વરખના ઉતારામાં સુખડના તેલનું મિશ્રણ હોય છે જેથી નિલેશ મહેતાનો અગાઉથી જ ઈરાદો નક્કી હતો કે તેઓને ડોલમાં મુકેલ સોનાના વરખનો ઉતારો લઈ લેવા માટે અને તેમાં રહેલા સુખડની સુગંધ પકડાય ન જાય તે માટે તેમણે પૂજારી પાસેથી સુખડનું તેલ મંગાવ્યું હતું. આ પછી સ્ટાફ જમીને પરત આવ્યો એટલે તેમના કહેવા પ્રમાણે સોનાના વરખની 700થી 800 ગ્રામ જેટલું સોનાનું વરખ કે જેની કિંમત 45 લાખ રૂપિયા જેટલી થાય છે તે લઈને જતા રહ્યા હતા.

Previous Post

જેકીશ્રોફ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તલગાજરડા આવી મોરારિબાપુના હસ્તે સ્વિકાર્યા એવોર્ડ – સન્માન

Next Post

4 દિવસમાં ટ્વિટર પર પરત આવી વાદળી ‘ચકલી’.

cradmin

cradmin

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
4 દિવસમાં ટ્વિટર પર પરત આવી વાદળી ‘ચકલી’.

4 દિવસમાં ટ્વિટર પર પરત આવી વાદળી 'ચકલી'.

સરકાર એલર્ટ, કોરોનાને લઈને માંડવિયાની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક

સરકાર એલર્ટ, કોરોનાને લઈને માંડવિયાની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.