ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે રસ્તાની વચોવચ હત્યા થઈ છે. ત્રણેય હુમલાખોરો સ્થળ પર જ ઝડપાઈ ગયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હત્યાના પગલે અનકે કાર્યવાહીના દોર શરૂ થયાં છે તેમજ કલમ 144 પણ લાગુ કરી દેવમાં આવી છે તેમજ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે.
હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ, પરિસ્થિતિ શાંત
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યાની ઘટના બાદ પોલીસે લખનૌ હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ યોજી છે. શાંતિપૂર્ણ માહોલ રહે જેને લઈ પોલીસે હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ યોજી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે જેથી લઈ લોકોના ટોળા એકઠા થઈ શકશે નહી. પાપ્ત વિગતો મુજબ માહોલ શાંત છે અને સમગ્ર પરિસ્થિતિ પણ કાબૂમાં જ છે.
પોલીસકર્મીઓને સસ્પેન્ડ
અતીક અહેમદ અને અશરફની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ સાથે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ લખનૌ કમિશનરેટ પોલીસ હાઈ એલર્ટ પર છે. એડીસીપી ચિરંજીવ નાથ સિંહા જૂના લખનૌના હુસૈનાબાદમાં પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા છે. લોકો સાથે વાત કરીને ભીડ ન ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.
તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતિક અને અશરફની હત્યાની નોંધ લીધી છે. તેમણે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોનું જ્યુડિશિયલ કમિશન બનાવવાની સૂચના પણ આપી છે.




