સૂત્રોનું માનીએ તો ખુલ્લેઆમ મર્ડર કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અતીક-અશરફની હત્યા કેમ કરી તે અંગેનિવેદન આપ્યું છે. સૂત્રો મુજબ આરોપીઓએ પોલીસને કહ્યું છે કે, માફિયા અતીકના પાકિસ્તાન સાથે સંબંધ હતા. તેણે અને તેની ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો હતો અને તેની સામે જુબાની આપનારને પણ છોડતો ન હતો. તેનો ભાઈ અશરફ પણ આ કામ કરતો હતો તેથી અમે બંનેની ગોળી મારી હત્યા કરી છે.
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના આરોપીઓ આ પહેલા અલગ-અલગ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે. પોલીસ એ પણ શોધી રહી છે કે, આરોપી ક્યારે અને કેવી રીતે પ્રયાગરાજ આવ્યો હતો. તેના સ્થાનિક મદદગારો કોણ છે ? જણાવવામાં આવ્યું છે કે, લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જૂના હમીરપુરનો સની અને કાસગંજનો અરુણ મૌર્ય છે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે. કેમેરા અને આઈડી સાથે આરોપી ક્યારે અને કેવી રીતે હોસ્પિટલમાં દાખલ થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.





