છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેલા ભારતીય દંડસંહિતા ધારાની કલમ 124એ જે ‘રાજદ્રોહ’ના આરોપ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની કેટલીક જોગવાઈને પડકારતી રીટ અરજી પર કોઈ તાત્કાલીક ચૂકાદો નહી આપવા કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરતા જણાવ્યું હતું કે ખુદ કેન્દ્ર સરકાર આ કાનૂનની સમીક્ષા કરી રહી છે અને તે વિચારણાની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે જે બાદ સુપ્રીમ કોર્ટ સુનાવણી ઓગષ્ટ માસના બીજા સપ્તાહમાં મુલત્વી રાખી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વની ખંડપીઠ સમક્ષ એટર્ની જનરલ એટર્ની જનરલ આર.એ.કારમણીએ કહ્યું કે, સરકાર આઈપીસી ધારાની 124 એ પદ હાલ વિચારણા કરી રહી છે. ગત વર્ષે તા.11 મેના રોજ સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ કલમ 124-એ ની એ ધારા જેમાં રાજદ્રોહનો આરોપ મુકવાના કેસમાં મોટો વધારો થતા તે કલમના ઉપયોગ સસ્પેન્ડ કરી દીધો હતો અને પોલીસને આ કલમનો ઉપયોગ કરતા રોકવાનો ઉપરાંત તે સમયે જે કેસો અદાલતમાં પેન્ડીંગ હતા તેની સુનાવણી પર પણ સ્ટે મુકી દીધો હતો તથા પોલીસ તેઓ વધુ તપાસ કરી શકશે નહી એ પણ જો કે કેન્દ્ર સરકારે તે સમયે એસ.પી. કક્ષાના અધિકારીની પુર્વ મંજુરી વગર હવે કોઈ નવી એફઆઈઆર આદેશ આપ્યો હતો તથા સુપ્રીમ કોર્ટે સરકારને આ કલમની પુન: સમીક્ષા કરવાની પણ તક આપી હતી પણ સુપ્રીમ કોર્ટે તે સ્વીકારી નથી અને કાનુનની જોગવાઈની પુન: સમીક્ષા પુર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પ્રકારે આ કલમનો ઉપયોગ ન થાય તે નિશ્ર્ચિત કરવા તાકીદ કરી હતી.
જો કે કલમ 124 એ ને પડકાર ફેકાયો તેમાં સમગ્ર સુનાવણી સાત જજોની ખંડપીઠને સુપ્રત કરવાની પણ માંગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ સુનાવણી પાંચ જજોની ખંડપીઠને સુપ્રત કરવી કે સાત જજોની ખંડપીઠને તે અંગે હજુ નિર્ણય લીધો નથી અને હવે માર્ગરેખા નિર્ણય લેશે.






