ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે જે અનુસાર હવે સરકારી કર્મીચારીઓ વોડાફોન-આઈડિયા કંપનીના મોબાઈલ નંબરના બદલે તેમને જીઓ નંબર જ વાપરવો પડશે.
ગુજરાતમાં અત્યારસુધી વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ નંબરના પોસ્ટપેઈડ કનેક્શન સરકારી કર્મીઓ વાપરતા હતા. હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, કર્મચારીઓને જીઓ નંબર જ વાપરવાનો રહેશે. જેમાં 37.50માં મહિનાનો રેન્ટલ પર જીઓ સીયુજી પ્લાન પણ ઉપલબ્ધ છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, વોડાફોન-આઈડિયા લી.ના મોબાઈલ ફોન તા.31.5.2023 સુધી બીલો સત્વરે ભરપાઈ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં પણ જણાવ્યું છે. જેનાથી MNPની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ શકે.




