પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈના કાર્યકરો અને સમર્થકો દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ મંગળવારથી પાકિસ્તાનમાં હિંસા રોકવામાં નિષ્ફળ રહેલી શાહબાઝ સરકાર વિચિત્ર દાવા કરી રહી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સહાયક અત્તા તરારે દાવો કર્યો છે કે આ હિંસામાં RSS અને BJPનો હાથ છે અને તેઓએ ભારતમાંથી એવા લોકોને મોકલ્યા છે જેઓ પાકિસ્તાનમાં તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે.
અત્તા તરારે બુધવારે એક મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જે લોકો તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે તેઓ ભારતમાંથી RSS અને BJP દ્વારા મોકલવામાં આવેલા લોકો છે. તરારે કહ્યું કે વિરોધ પછી ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ અને આરએસએસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. તેમણે કહ્યું કે જે કંઈ પણ થયું છે તે RSSના ઈશારે થયું છે.




