IPL 2023 સીઝન ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે. હવે 16મી સિઝનમાં માત્ર 11 મેચ જ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં, મોટાભાગની ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ સિઝનની પ્લેઓફની રેસ ઘણી રોમાંચક બની છે. અત્યાર સુધી કોઈ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ શકી નથી. પરંતુ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની આરે આવીને ઉભી છે. આ બંને ટીમો અંતિમ ચારમાં પહોંચવાથી માત્ર 1 જીત દૂર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
આ ટીમો પાસે છે તક
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ના પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે. બંને ટીમ પ્લેઓફની રેસથી માત્ર એક જીત દૂર છે. આ બે ટીમો ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પાસે પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાની તક છે. એટલે કે પ્લેઓફમાં ગુજરાત અને ચેન્નાઈના બે સ્થાન બાકી રહે તો બાકીના બે સ્લોટ માટે 6 ટીમો વચ્ચે સ્પર્ધા છે. આ ટીમોએ પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે તેમની બાકીની મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. જે ટીમ આમાંથી એક મેચ પણ હારશે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો આ છ ટીમોમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છોડી દેવામાં આવે તો બાકીની ટીમોએ 2-2 મેચ રમવાની છે. RCB IPL 2023માં અત્યાર સુધીમાં 11 મેચ રમી ચુક્યું છે અને તેણે હજુ 3 મેચ રમવાની છે.
દિલ્હી-હૈદરાબાદ બહાર
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 13 મેના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ દિલ્હીની ટીમ છેલ્લા ચારની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદને પણ લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હૈદરાબાદની ટીમ હજુ સત્તાવાર રીતે IPL 2023માંથી બહાર નથી થઈ. પરંતુ તેના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે. આઈપીએલની 16મી સીઝનમાં હૈદરાબાદે 11 મેચ રમી છે જેમાં 4માં જીત અને 7માં હાર થઈ છે. સનરાઇઝર્સે હજુ ત્રણ મેચ રમવાની છે. ધારો કે હૈદરાબાદની ટીમ બાકીની તમામ મેચો જીતી જાય તો તે 14 પોઈન્ટ સાથે તેના અભિયાનનો અંત કરશે. પરંતુ 14 પોઈન્ટ મેળવનારી ટીમ કોઈપણ સંજોગોમાં આઈપીએલ 2023ના પ્લેઓફમાં ક્વોલિફાઈ કરી શકશે નહીં. જેના કારણે હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.