RBI એ સપ્ટેમ્બરના અંત સુધી રૂ. 2000 ની નોટો બેંકોની મુલાકાત લઈને એક્સચેન્જ કરાવવા માટે એક અલગ વિન્ડો પણ ઓફર કરી છે. આરબીઆઈના નિર્દેશો હેઠળ દેશભરની બેંકોમાં 23 મેથી 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દરમિયાન, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે રૂ. 2,000ની નોટ બદલવા માટે કોઈ ફોર્મ કે રિક્વિઝિશન સ્લિપની જરૂર નથી.
દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 3 દિવસ પહેલાં 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.
RBI અને SBIની ગાઈડલાઈન મુજબ, નોટો બદલવા માટે કોઈ IDની જરૂર નથી અને કોઈ ફોર્મ ભરવાનું નથી. એક સમયે 20,000 રૂપિયાની માત્ર 10 નોટો જ બદલી શકાશે, પરંતુ આ નોટો ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી. બેંકો 2000ની નોટ નહીં આપે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે (19 મે) 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જો કે, આ મૂલ્યની નોટો 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા અથવા બદલી શકાશે. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે હાલમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આરબીઆઈની જાહેરાત પછી તરત જ લોકોમાં હલચલ મચી ગઈ હતી કારણ કે રૂ. 2000ની નોટ પરત આવવાને નોટબંધીના બીજા પગલા તરીકે જોવામાં આવી રહી છે. જો કે, આરબીઆઈએ સ્પષ્ટતા જારી કરીને કહ્યું છે કે આ નોટબંધી નથી, પરંતુ માત્ર ઉપયોગ પર પ્રતિબંધ છે.
*ફૂડ ઓર્ડરમાંથી 72 ટકા રૂ. 2,000ની નોટમાં ચૂકવવામાં આવ્યા- Zomatoએ ટ્વિટ કર્યું *
ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, મંગળવાર (23 મે)થી દેશભરની બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. આ દરમિયાન ફૂડ ડિલિવરી એપ Zomato એ ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. જેની પાસે 2,000ની નોટ છે તે જલદીથી તેને ખર્ચવા પ્રયાસ કરી રહ્યા છે. આનો સૌથી મોટો પુરાવો Zomato દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. સોમવારે, Zomatoએ ટ્વિટ કર્યું કે ડિલિવરી પર રોકડ તરીકે પ્રાપ્ત થયેલા તમામ ફૂડ ઓર્ડરમાંથી 72 ટકા રૂ. 2,000ની નોટમાં ચૂકવવામાં આવ્યા હતા.




