આ વખતે આઈપીએલ મેચમાં કમાલ કરનારા બે ખેલાડીઓ ચર્ચાનો વિષય તેમના પરફોર્મન્સથી બન્યા છે. યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રીંક સિંહને પણ સ્થાન મળે તો નવાઈન નહીં. ટી 20 વર્લ્ડ કપમાં યુવા ટીમને સ્થાન આપવાને લઈને જોર અપાઈ રહ્યું છે. ત્યારે આ ખેલાડીઓ પણ ટીમનો હિસ્સો હોઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ટી20 ફોર્મેટમાં રોહિત શર્માના ઓપનિંગ સ્થાને જયસ્વાલને ચાન્સ મળી શકે છે. મીડલ ઓર્ડરમાં રીંક સિંહને પણ સ્થાન મળી શકે છે.
હરભજનનું માનવું છે કે જ્યારે તમે યુવા ટીમને પ્રમોટ કરી રહ્યા છો તો યશસ્વી જયસ્વાલને તક મળવી જ જોઈએ. એક પ્રશ્નના જવાબમાં હરભજન સિંહે આ વાત કહી હતી, તેમણે કહ્યું હતું કે,યશસ્વી જયસ્વાલ ઘણા ખેલાડીઓ કરતા સારા છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ટી-20 ફોર્મેટમાં યુવા ટીમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને તક મળવી જ જોઈએ.
હરભજન સિંહે કહ્યું છે કે ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં જ રહેવી જોઈએ. ભૂતપૂર્વ ઓફ સ્પિનરે કહ્યું, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને ઓપનિંગની જવાબદારી મળવી જોઈએ. આ સાથે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવી જોઈએ. આ ખેલાડીઓમાં પોતાને સાબિત કરવાની ક્ષમતા છે.
આ સાથે જ યશસ્વી જયસ્વાલને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જયસ્વાલે આ સિઝનમાં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 625 રન બનાવ્યા હતા અને તે રાજસ્થાન માટે ટોપ સ્કોરર હતો. રિંકુ સિંહે પણ મિડલ ઓર્ડર માટે દમદાર ખેલાડી તરીકે ઉભર્યો છે.
અત્યાર સુધી હાર્દિક પંડ્યાને BCCI દ્વારા T20 ફોર્મેટના નિયમિત કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ જીટીમાં પ્રથમ વખત ટીમને જીત અપાવવામાં તેમજ ટીમને આગળ મજબૂતાઈથી વધારવામાં કેપ્ટનશિપના વખાણ પણ થયા છે.




