ઉત્તરાખંડના હરિદ્વારના મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હવે અહીંના મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને જવા પર પ્રતિબંધ છે. આવી સ્થિ્તિમાં હવે ટૂંકા કપડા પહેરેલા પુરૂષો, મહિલાઓ અને છોકરીઓ અહીંના મંદિરોમાં જઈ શકશે નહીં. આ વાતની પુષ્ટિ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મહાનિર્વાણીના સચિવ મહંત રવીન્દ્રી પુરીએ કરી હતી.
મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શરીરના પ્રદર્શનને સારું માનવામાં આવતું નથી. જેના કારણે દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે. આ ધાર્મિક પરંપરાને આગળ વધારતા હરિદ્વારના મંદિરોમાં આવનારી બહેનો, દીકરીઓ અને માતાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ મંદિરમાં મનોરંજન માટે નહીં પરંતુ આત્મ સંવર્ધન માટે આવે છે, તેથી ટૂંકા કપડા પહેરીને દર્શન માટે આવો નહીં.
વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય પરંપરામાં શરીરનો ૮૦ ટકા ભાગ ઢંકાયેલો હોવો જોઈએ. જેના કારણે મંદિરોમાં આવતા યુવક-યુવતીઓએ ૮૦ ટકા શરીરન ઢાંકેલા કપડા પહેરીને દર્શન કરવા આવે અને જો તેઓ ટૂંકા વષાો પહેરીને મંદિરે આવે તો તે માટે અપીલ કરવામાં આવી છે. શોર્ટ કપડા પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જયારે આપણે કોઈપણ ધાર્મિક વિધિ, પૂજા, હવન, યજ્ઞ કે ભગવાનના અભિષેકમાં બેસીએ ત્યારે આપણાં વષાો ભારતીય પરંપરાના હોવા જોઈએ. તેમણે જણાવ્યું કે લોકોની સાથે વહીવટી અધિકારીઓ અને નેતાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.






