વોશિંગ્ટન, તા. 9
ભારતમાં નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે તે સમયે અમેરિકાની નેશનલ ઓસોનીક એન્ડ એટમોસ્પીયરીક એડમીનીસ્ટ્રેશન (એનઓએએ) અલનીનોના આગમનની જાહેરાત કરી છે. પેસીફીક સમુદ્રમાં સર્જાતા ગરમ પાણીના પ્રવાહ અને જે રીતે સપાટી પરનો ઉષ્ણતામાન વધે છે તે કારણે અલનીનોનો પ્રવાહ સર્જાય છે.
ભારતના ચોમાસાને અસર કરે છે તથા ડ્રાઇવ વેધર એટલે કે ચોમાસુ નબળુ રહે અને અસમાન રહે તેવી શકયતાઓ પણ સર્જાય છે. હવે ભારતીય હવામાન ખાતાએ પણ અગાઉ અલનીનોની શકયતા 80 થી 90 ટકા દર્શાવી હતી પરંતુ તે કયારે સર્જાશે તે હજુ સુધી ચોકકસ કહી શકાયુ ન હતું એક તબકકે જુન માસના મધ્યથી અલનીનોની અસર થશે તેવું જણાવાયું હતું પરંતુ બે દિવસ પૂર્વે આવેલા અહેવાલમાં એવું દર્શાવાયું કે ભારતનું ચોમાસુ પુરૂ થવાની તૈયારી હશે તે સમયે અલનીનોની અસર સર્જાઇ શકે છે.
જેથી ચોમાસા પર ભાગ્ય જ મોટી અસર થશે. હવે જયારે નૈઋત્યનું ચોમાસુ સાત દિવસ મોડુ કેરળના દરિયા કિનારે પહોંચ્યુ છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે તે સમયે અમેરિકી એજન્સીની આગાહીએ ચિંતા સર્જાવી દીધી છે ખાસ કરીને ખરીફ પાકની સૌથી મોટી આવશ્યકતા નૈઋત્યનું ચોમાસુ સંતોષકારક રહે તેમ છે.
હજુ પણ એવી શકયતા છે કે ઇન્ડીયન ઓસન ડાયપોલ તરીકે અથવા તો ઇન્ડીયન નીનો તરીકે જે સ્થિતિ બને છે તે અલનીનોના પ્રભાવને બીનઅસરકારક કરી શકે છે અને તેથી જ ભારતીય હવામાન ખાતુ આશા રાખે છે કે નૈઋત્યનું ચોમાસુ થોડુ નબળુ હોય તો પણ નિષ્ફળ નહીં જાય કે અલનીનોના પ્રભાવને અસરહીન કરી દેશે. જોકે મજબુત અલનીનો સર્જાવાની શકયતા નવેમ્બર-જાન્યુઆરી દરમ્યાન હોવાનું ફરી એક વખત માનવામાં આવી રહ્યું છે. જોકે ર016ના અલનીનોના પ્રભાવ સાથે સરખામણી કરવાનું યોગ્ય નહીં હોવાનું પણ જણાવાયું છે.





