મહેસૂલ વિભાગમાં 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવામાં આવશે, નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીની સહિતના વર્ગ-3 તમામ કર્મચારીઓની બદલી કરવા કલેક્ટરોને મહેસૂલ વિભાગે સૂચના આપી છે.
મહેસૂલ વિભાગે કલેક્ટરોને એક પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે આપના જિલ્લાના મહેકમ હસ્તકના મહેસૂલ વિભાગ હસ્તકના બિનરાજપત્રિત વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા/ એક જ કચેરીમાં ફરજ બજાવી રહ્યા હોય તેવા તમામ નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની બદલી કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી એ અંગેનો અહેવાલ ન-શાખાના મેઈલમાં કરવો.




