અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. 125 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝાડું ગંભીર બને તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે.15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડશે. વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર, કચ્છ અને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું બિપરજોય 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને છેલ્લા 6 કલાક દરમિયાન પવનની ઝડપ 165 થી 175 કિમી પ્રતિ કલાકથી લઈને ઝડપે 195 કિમી પ્રતિ કલાક સુધી પહોંચતા તે અત્યંત તીવ્ર બન્યું હતું. ટાયફૂન રીસર્ચ સેન્ટર અને જેજુ નેશનલ યુનિવર્સિટીના સંશોધક વિનીત કુમારે કહ્યું કે, બિપરજોય વાવાઝોડું તાઉતે વાવાઝોડા કરતા પણ ખતરનાક છે.
વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના 15 જૂને માંડવી-કચ્છ વચ્ચે ટકરાવવાની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આ વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી સમુદ્રમાં 400 કિમી, નલિયાથી સમુદ્રમાં 490 કિમી દૂર અને કરાચીથી સમુદ્રમાં 660 કીમી દૂર છે. આ વાવાઝોડું 5 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
*14 અને 15 જૂને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ *
વાવાઝોડાના કારણે દરિયાકાંઠે 165થી 170 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડાની તીવ્રતા 200 કિમીની સુધી જઇ શકે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. 14 અને 15 જૂને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઇ છે. એવી પણ આગાહી કરાઇ છે કે વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ તેમ નબળું પડી શકે છે.



