Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સૈન્ય સ્ટેન્ડ-ટુ: 150 જવાનોને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડમાં રખાયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કચ્છ આવી ગયા, સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા અને સમીક્ષા કરી

aaspassdaily by aaspassdaily
2023-06-14 12:45:20
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઈ રહી છે. ઈતિહાસમાં પહેલીવાર ઓખા અને કંડલા બંદરે 10 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીઓ અને રાજયકક્ષાનાં મંત્રીઓને જે જગ્યાએ વાવાઝોડાની અસર થવાની છે. એવા સંભવીત જીલ્લામાં મોકલવામાં આવ્યા છે. વાવાઝોડાની ગંભીરતાને લઈને બીએસએફ અને કોસ્ટલ એરીયાનાં જવાનો એલર્ટ મોડમાં છે.
જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે. 10 દિવસથી વધુ સમય સુધી ચાલે એટલે રાશન સાથે 150 કરતાં વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બિપરજોયની અસર રાજયમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાની ગંભીરતાનાં પગલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કચ્છમાં આવી ગયા છે. માંડવીયાએ જણાવ્યું કે વાવાઝોડાની સામેની પરિસ્થિતિમાં લડવા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે એ જોઈને મને ખુબ જ ખુશી થઈ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 8 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યુ છે. કચ્છ-ભુજમાં બિપરજોય વાવાઝોડુ ટકરાવાનુ છે.એની ગંભીરતાને લઈને બીએસએફ અને કોસ્ટલ એરીયાનાં જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો આ જવાનોની મદદ લેવામાં આવશે. જેમાં 150 કરતા વધુ જવાનો હાલમાં 10 ટ્રકો સાથે બચાવથી લઈને રાશનની કીટો સાથે તૈનાત છે. જયારે કચ્છ જીલ્લામાં 4500 અગરીયા તથા 2221 નાગરીકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાથી જાનમાલને નુકશાન રોકવા શ્રેણીબદ્ધ પગલા લેવાયા છે.કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારી પર દેખરેખ રાખવા કેન્દ્રીય પ્રધાનોને પણ મોકલ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બે દિવસથી સૌરાષ્ટ્રમાં કેમ્પ કર્યો છે.ગઈકાલે તેઓ ભુજ મીલીટરી બેઈઝ પર પણ પહોંચ્યા હતા.વાવાઝોડાની સંભવીત આફત સામે સૈન્યને પણ સ્ટેન્ડ-ટુ રખાયું છે. ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા સેનાએ પણ સંપૂર્ણ તૈયારી રાખી છે. મનસુખ માંડવીયાએ આ મામલે સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા અને સમીક્ષા કરી હતી.

Previous Post

24 કલાક નિર્ણાયક: સરકાર-વહિવટીતંત્ર ઉંધા માથે

Next Post

GT20 Canada: ક્રિસ ગેઇલ કરશે મેદાનમાં વાપસી, હરભજનસિંહ પણ રમતો જોવા મળશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
GT20 Canada: ક્રિસ ગેઇલ કરશે મેદાનમાં વાપસી, હરભજનસિંહ પણ રમતો જોવા મળશે

GT20 Canada: ક્રિસ ગેઇલ કરશે મેદાનમાં વાપસી, હરભજનસિંહ પણ રમતો જોવા મળશે

ICC ODI WC 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ ફાઇનલ રમાશે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

ICC ODI WC 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ ફાઇનલ રમાશે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.