ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023 દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ધર્મશાલા, લખનૌ, પુણે, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં યોજાશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે તો સેમીફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે પછી ભલે તે પોઇન્ટ ટેબલ અથવા ગ્રૂપમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ ગમે તે હોય.
સોમવારે BCCIના અધિકારીઓ અને સંબંધિત રાજ્યોના ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં ICCના નિયમો સિવાય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો સેમિફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વાસ્તવમાં, છેલ્લા ઘણા દિવસોથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ODI વર્લ્ડ કપ 2023ના સ્થળની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.






