વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થતા જ જળાશયોમાં પાણી જોવા મળ્યું છે. 26 જુન સુધીના લેટેસ્ટ અપડેટ અનુસાર, સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. હાલની પરિસ્થિતિ મુજબ, ગુજરાતમાં 10 ડેમો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 6 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા છે કારણ કે, તેમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે. બાકીના ત્રણ જળાશય એલર્ટ પર છે જ્યાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તો એક જળાશયમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ થતા તેમને વોર્નિંગ સિસ્ટમ પર મૂકાયા છે.


