ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજથી રમાશે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્ત્વની છે. હકીકતમાં, આ મેચ સાથે, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની નવી સાયકલની શરૂઆત કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા ઈચ્છશે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ધોવાઈ શકે છે પ્રથમ મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત દેખાઈ રહ્યા નથી. ભારત આ ટેસ્ટ મેચ જીતશે તેવી અપેક્ષા છે, પરંતુ આ આશાઓ પર પાણી ફરી શકે છે. વાસ્તવમાં આ મેચમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ મેચ ડોમિનિકામાં રમાશે અને મેચના પાંચ દિવસે હવામાન સારું નથી. ટેસ્ટ મેચના પાંચમાંથી ત્રણ દિવસ વરસાદનું અનુમાન છે.
વેસ્ટ ઈન્ડિઝને ફાસ્ટ બોલરો માટે સ્વર્ગ બન્યાને ઘણો સમય વીતી ગયો છે. છેલ્લા ઘણા સમયથી ફાસ્ટ બોલરોને અહીં વધુ મદદ મળી નથી શકી. આ સીરીઝમાં પણ જે બે પીચો પર મેચ રમાશે તે બંને પીચો પણ ધીમી ગતિ માટે જાણીતી છે. હવામાનની દ્રષ્ટિએ, ટેસ્ટના પહેલા, બીજા અને પાંચમા દિવસે થોડો વરસાદ થવાની અપેક્ષા છે.
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સીરીઝ માટે બંને ટીમો –
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, અક્ષર પટેલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ
વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ટેસ્ટ): ક્રેગ બ્રેથવેટ (સી), જર્માઈન બ્લેકવુડ (વીસી), એલીક અથાનાજ, તેજનારાયણ ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ ડી સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રેફર, કેમર રોચ અને જોમેલ વોરિકન