રાજ્યમાં વધુ 6 IPS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. આપને જણાવીએ કે, 6 આઈ પી એસની બદલી કરાઈ છે જ્યારે 2 ડીવાયએસપીની બદલી કરાઈ છે. રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે.





