જમ્મુ-કાશ્મીરના પુંછમાં મંગળવારે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સોમવારે મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.
આ એન્કાઉન્ટર પૂંછના સિંધારા વિસ્તારમાં ચાલી રહ્યું હતું. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે સુરક્ષાદળોના જવાનોનો આતંકવાદીઓ સાથે સામનો થયો હતો આ પછી ડ્રોન અને અન્ય સર્વેલન્સ સાધનોની મદદ લેવામાં આવી હતી. આતંકવાદીઓએ આજે વહેલી સવારે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના પર જવાબી કાર્યવાહી કરતા સેના, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ આતંકીઓને ઠાર કર્યા હતા.
સૈન્ય સૂત્રોનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓએ સરહદ પારથી ઘૂસણખોરી કરી હોવાની આશંકા છે. જો કે હજુ સુધી આ આતંકીઓના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી