Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા સરકારે ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ

નોન-બાસમતી ચોખા હજુ પણ અમુક શરતો સાથે નિકાસ કરી શકાય છે

aaspassdaily by aaspassdaily
2023-07-21 10:27:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત સરકારે બાસમતી ચોખાને છોડીને તમામ રીતના કાચા ચોખાના નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણય આગામી તહેવારી સીઝન દરમિયાન ઘરેલુ ડિમાન્ડમાં વધારા અને છુટક કિંમત પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસમાં ચોખાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે, આ મહિને ચોખાના ભાવ 10થી 20 ટકા સુધી વધી ગયા છે. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં ગેર-બાસમતી સફેદ ચોખાની ભાગીદારી 25 ટકા છે. ભારત સૌથી વધુ ગેર બાસમતી ચોખા થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને સંયુક્ત રાજ્ય અમેરિકાને નિકાસન કરે છે.
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. ઘઉં, ચોખા, દૂધ, શાકભાજીની સાથે દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં નબળા ચોમાસાને કારણે ચોખા અને કઠોળના પાક પર ખતરો વધ્યો છે, જેને પગલે દેશમાં ચોખાના ભાવમાં વધારાને રોકવા માટે સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ ડીજીએફટીએ જણાવ્યું હતું કે, બિન-બાસમતી સફેદ ચોખા (સેમી-મીલ્ડ અથવા સંપૂર્ણ સેમી ચોખા, પછી ભલે તે પોલિશ કરેલા હોય કે ન હોત)ની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, નોન-બાસમતી ચોખા હજુ પણ અમુક શરતો સાથે નિકાસ કરી શકાય છે.
14 જુલાઈ સુધી દેશમાં ખરીફ પાકની વાવણી ગયા વર્ષની સરખામણીએ 2 ટકા ઓછી રહી છે. કુલ વાવાયેલા વિસ્તારમાં ચોખાનું વાવેતર 6.1 ટકા વિસ્તારમાં થાય છે જ્યારે કઠોળ પાકનું વાવેતર 13.3 ટકા વિસ્તારમાં થાય છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય ખરીફ ચોખા ઉગાડતા રાજ્યોમાં ઓછા વરસાદને કારણે વાવણીમાં વિલંબ થયો છે. વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસુ મોડું શરૂ થયું હતું જેને કારણે મુખ્ય ખરીફ પાક ચોખાની વાવણી પણ ધીમી ગતિએ થઈ રહી છે. ગયા સપ્તાહના અંત સુધીમાં ડાંગરનું વાવેતર ગયા વર્ષના જુલાઈના પ્રથમ સપ્તાહની સરખામણીએ 25 ટકા જેટલું ઓછું રહ્યું હતું. ભારત વિશ્વમાં ચોખાનો મોટો નિકાસકાર દેશ છે ત્યારે નિકાસમાં કોઈપણ પ્રતિબંધથી વિશ્વ બજારમાં ચોખાના ભાવમાં ઉછાળો આવતા વાર નહીં લાગે.
બાસમતી સિવાયના ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા દેશમાંથી ચોખાની 80 ટકા નિકાસ ઘટવાની સંભાવના છે. આને કારણે ઘરઆંગણે ચોખાના ભાવ ઘટશે પરંતુ વિશ્વ બજારમાં ભાવ જે હાલમાં અગાઉથી જ ઊંચા છે તેમાં વધુ વધારો જોવા મળશે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન ચોમાસામાં વરસાદના અપ્રમાણસર વિતરણથી વિવિધ પ્રકારના ચોખાના ભાવમાં છેલ્લા પખવાડિયામાં અઢારથી વીસ ટકા વધારો જોવા મળ્યો છે. 2023-24ના (જુલાઈથી જૂન) વર્તમાન ક્રોપ યર માટે સરકારે ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ ૨૧૮૩ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જો કે ખુલ્લા બજારમાં ભાવ આનાથી ઘણાં ઊંચા બોલાઈ રહ્યા છે.
ચોખાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા જેટલો છે. 2022માં ભારત ખાતેથી 5.60 કરોડ ટન ચોખાની નિકાસ થઈ હતી. વિશ્વ બજારમાં ભારતના ચોખા સૌથી સસ્તા પડે છે એમ રાઈસ એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ભારતે ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં ઘઉં તથા ખાંડની નિકાસ પર પણ નિયમન લાગુ કર્યા છે.

Previous Post

રાજ્યમાં ભારે વરસાદના પગલે બસોની 262 ટ્રીપ રદ

Next Post

હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે

aaspassdaily

aaspassdaily

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ
તાજા સમાચાર

શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ

July 28, 2025
ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

July 28, 2025
Next Post
હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે

હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે

બાળકોમાં ડેન્ગ્યુના ગંભીર કેસોનું વધુ જોખમ, માતાપિતાએ આવા લક્ષણો સમયસર ઓળખવા જોઈએ

બાળકોમાં ડેન્ગ્યુના ગંભીર કેસોનું વધુ જોખમ, માતાપિતાએ આવા લક્ષણો સમયસર ઓળખવા જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.