કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રત્યેક લાભાર્થી સુધી રાજ્ય સંચાલિત સ્વાસ્થ્ય યોજનાઓની સર્વોત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ શરૂં કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં આયુષ્યમાન તમારા દ્વારે 3.0, આયુષ્યમાન સભા, આયુષ્યમાન મેળો અને આયુષ્યમાન ગ્રામ જેવી કેટલીક પ્રવૃત્તિઓની યોજના બનાવી છે. આ યોજના હેઠળ 100 ટકા લાભ પહોંચાડવામાં આવે તે માટે પહેલી ઓગસ્ટથી આયુષ્યમાન તમારા દ્વારે 3.0 માટે સઘન અભિયાન શરૂ કરાશે.
આયુષ્યમાન સભા કેન્દ્ર તથા રાજ્ય સરકારોની તમામ સ્વાસ્થ્ય યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિના નેતૃત્વમાં એક ગ્રામસ્તરે અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વડાપ્રધાન જન આરોગ્ય યોજના, સ્વાસ્થ્ય વીમા યોજના કાર્ડના મહત્ત્વ અને તેનું વિતરણ તથા આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા નંબર તૈયાર કરવા જાગૃતિ આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ સભાઓ પ્રજનન અને બાળ સ્વાસ્થ્યના મુદ્દાઓ, વેક્સિનેશન, પોષણ અને એનિમિયા અંગે જાગરુકતા પેદા કરવામં મદદ કરશે. આ ઉપરાંત સામાજિક એકાઉન્ટેબિલિટીને વેગ આપશે. દરેક ગામમાં વડાપ્રધાન જન આરોગ્ય યોજના કાર્ડ વિતરીત કરવામાં આવશે અને જે તે ક્ષેત્રની હોસ્પિટલોની જાણકારી આપવામાં આવશે.
અહેવાલો અનુસાર જાહેર અને ખાનગી એમ બન્ને ક્ષેત્રમાં 705 મેડિકલ કોલેજો છે. તેથી પ્રત્યેક મેડિકલ કોલેજ દર વર્ષે લગભગ 50 ચિકિત્સા શિબિરનું આયોજન કરી શકે છે અને ઓચામાં ઓછા 300-400 ઓપીડી ઉપચારનું લક્ષ્ય રાખી શકે છે. તમામ મેડિકલ કોલેજ મળીને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર વ્યક્તિ દીઠ કેમો મોડમાં ઓછામાં ઓછા 1.25-1.50 કરોડ દર્દીઓનો ઇલાજ કરવામાં સક્ષમ થઇ શકે છીએ.






