રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં જાનૈયાઓની જ જાન ગઈ છે. લગ્નની જાનની કાર બસ સાથે અથડાતા સાત લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. તેની સાથે બીજા બે જણાને ગંભીર ઇજા પહોંચી છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આમ વાજતેગાજતે લગ્નમાં જતાં જાનૈયાઓને અકસ્માત નડતા ખુશીનો પ્રસંગ મોટી કરુણાંતિકામાં ફેરવાઈ ગયો છે. અકસ્માતની ભયંકરતા એટલી બધી હતા કે લાંબા સમય સુધી રસ્તા પર ટ્રાફિક જામ રહ્યો હતો. આ અકસ્માત રાજસ્થાનના નાગૌરના ખુંગખુના વિસ્તારમાં બાથંડી ક્રોસિંગ પાસે થયો હતો. સીકરના જાટ બજાર વિસ્તારનો પરિવાર નાગોર માં લગ્ન માટે જાન લઈ જતો હતો. આ સિવાય સામેથી આવતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસે કારને અડફેટે લેતા કારમાં સવાર સાત લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં મોહમ્મદ શાહરૂખ, તોહીદ, ઝુબેર, રશીદ, આસિફ અને રશીદના મોત થયા હતા. તમામની ઉંમર 30ની આસપાસ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ઝુબેર અને આસિફના વિતા વિદેશમાં નોકરી કરે છે. તેમને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે. સાતેયના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘટનામાં મૃત્યુ પામેલા મોટાભાગના યુવકો શ્રમિક હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહીં એકબાજુએ વરરાજાના આગમનની તૈયારી ચાલતી હતી, તેના બદલે મૈયતની તૈયારી કરવાની ફરજ પડી છે




