Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

દોષિત તરફથી હાજર વકીલે કહ્યું, સજાનો ઉદ્દેશ્ય બદલો લેવાનો નથી પણ ગુનેગારને સુધારવા અને તેનું પુનર્વસન કરવાનો છે

aaspassdaily by aaspassdaily
2023-08-25 11:56:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે કાયદાને મહાન પ્રોફેશન ગણાવતા સવાલ ઉઠાવ્યો કે ‘શું કોઇ ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય છે. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે રાજ્ય બાર કાઉન્સિલમાં નોંધણી પર ફોજદારી દોષિત ઠરાવની અસર પર સવાલ પૂછ્યો છે.’ સુપ્રીમ કોર્ટે આ સવાલ વર્ષ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલકિસ બાનુ સાથે સામુહિક દુષ્કર્મ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યામાં તમામ 11 દોષિતોને સજામાં છૂટ આપીને સમય પહેલા જેલમાંથી છોડી મુકવા વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી દરમિયાન ઉઠાવ્યો હતો.
જસ્ટિસ બી.વી.નારગત્ના અને ઉજ્જવલ ભુઇયાની પીઠે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે છોડી મુકાયેલા દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહ તરફથી સીનિયર વકીલ ઋષિ મલ્હોત્રાએ કહ્યું કે તેમના ક્લાયન્ટ હવે ગુજરાતમાં મોટર વાહન અકસ્માત ક્લેમમાં વકીલ તરીકે વકીલાત કરી રહ્યાં છે. જેની પર જસ્ટિસ ભુઇયાએ કહ્યું કે વકીલાત એક મહાન પ્રોફેશન ગણાય છે, એવામાં સવાલ ઉભો થાય છે કે રાજ્ય બાર કાઉન્સિલના એક વકીલના નોમિનેશન પર દોષિત ઠેરવ્યા બાદ શું પ્રભાવ પડે છે અને શું કોઇ દોષિત ઠેરવ્યા પછી પણ પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ આપી શકાય?. દોષિત તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે સજાનો ઉદ્દેશ્ય બદલો લેવાનો નથી પણ ગુનેગારને સુધારવા અને તેનું પુનર્વસન કરવાનો છે, તેમણે ક્લાયન્ટ રાધેશ્યામ શાહના આચરણને લઇને એક રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 15 વર્ષ કરતા વધુ સમય સુધી તે જેલમાં રહ્યાં છે જ્યારે નક્કી નિયમ અનુસાર 14 વર્ષની સજા પૂર્ણ કરવા અને સારા આચરણ બાદ સજામાં છૂટ મેળવીને આરોપી બહાર આવી શકે છે. સાથે જ કહ્યું કે દોષિતને છોડવામાં આવ્યે એક વર્ષ થઇ ગયો છે અને આ વચ્ચે તેના વિરૂદ્ધ કોઇ ફરિયાદ નોંધાઇ નથી. મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે બિલકિસ બાનુના ગેન્ગરેપના દોષિતોને સજામાં છૂટ આપીને સમય પહેલા છોડી મુક્યા હતા. ગુજરાત સરકારના નિર્ણય વિરૂદ્ધ પીડિત બિલકિસ બાનુ સિવાય કેટલાક લોકો તરફથી અરજી દાખલ કરવામાં આવી છે.

Previous Post

દેશના અત્યાર સુધીના લોકપ્રિય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી મોખરે

Next Post

રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત- સરકારની ગાઈડલાઈન જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત- સરકારની ગાઈડલાઈન જાહેર

રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત- સરકારની ગાઈડલાઈન જાહેર

2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.