ગુજરાત હાઈકોર્ટની ફટકાર છતાં રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. રજીસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવામાં આવશે તેમ ગાઈડલાઈનમાં જણાવ્યું છે. રાજ્ય સરકારે ગુરૂવારે રખડતા ઢોર અંગે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મહાનગર પાલિકા અને નગર પાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. રજીસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવામાં આવશે. ટેગ વગરના ઢોર માટે 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રખડતા ઢોર અંગેની ગાઈડલાઈન મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.





