તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે શનિવારે સવારે અકસ્માત થયો હતો. રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. આ આગમાં દાઝી જવાથી 8 લોકોના મોત થયા છે. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ મૃતકો યુપીના રહેવાસી છે.
ટ્રેન લખનૌથી રામેશ્વરમ જઈ રહી હતી. આ દરમિયાન પ્રવાસી કોચમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની ઘટનાની જાણકારી સવારે 5.15 વાગ્યે મળી હતી. જ્યારે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક ખાનગી કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી છે અને અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી





