ભારતીય અવકાશ અનુસંધાન સંગઠનએ જણાવ્યું કે ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની પૃષ્ટી કરી છે.ISROએ જાણકારી આપી કે રોવરમાં લાગેલા લેજર ઇંડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી ઉપકરણની મદદથી સલ્ફર મળ્યું છે. આશા અનુસાર રોવરે સલ્ફર સિવાય એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયરન, ક્રોમિયમ, મેગેનિઝ અને સિલિકોન વગેરેને પણ શોધ્યા છે અને હાઇડ્રોજન માટે તપાસ ચાલુ છે.
ચંદ્રયાન-3ની સાથે મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. તેના થોડી વાર પછી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું હતું અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરવાના શરૂ કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે સૌર ઉર્જાથી ચાલતા રોવર વિક્રમ લેન્ડરની આસપાસ ફરશે અને તસવીરો અને ત્યા મળતા વૈજ્ઞાનિક ડેટાને ISRO સાથે શેર કરશે.
ચંદ્ર પર અડધો દિવસ પસાર કરવાની નજીક ચંદ્રયાન-3
ચંદ્રયાન-3ની મિશન લાઈફ એક ચંદ્ર દિવસ આંકવામાં આવી છે, જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ગત બુધવારે 23મી ઓગસ્ટે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ રીતે ચંદ્રયાન-3 ચંદ્ર પર લગભગ અડધો દિવસ પસાર કરવાની નજીક છે. આ દરમિયાન ઈસરોએ લેન્ડર અને રોવરની મદદથી ચંદ્રમા અંગે ઘણા મહત્વના ડેટા પ્રાપ્ત કર્યા છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે ચંદ્રયાન-3 બીજા ચંદ્ર દિવસોમાં પણ કામ કરી શકે છે. આ માટે તેને ચંદ્રની રાત્રિના અત્યંત ઠંડા તાપમાનમાં ટકી રહેવું પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ચંદ્રના કેટલાક ભાગોમાં તાપમાન માઈનસ 203 ડિગ્રી સુધી પહોંચી જાય છે.