સાંબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા હિંડટીયા ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થતા મામલો બિચક્યો હતો. મૃતદેહ લેવા આવેલી એમ્બ્યુલન્સ પર પણ સ્થાનિકો દ્વારા પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે LCB, SOG, સહિતની જિલ્લાની મોટાભાગની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



